Shashi Tharoor leave congress: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરનો પાર્ટી નેતૃત્વ સામે વધતો અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. તાજેતરમાં તેમણે કોંગ્રેસમાં સાઇડલાઈન થવાની ફરિયાદ કરી હતી અને એમ પણ કહ્યું હતું કે જો પાર્ટીને તેમની જરૂર નથી, તો તેમની પાસે ઓપ્શન છે. થરૂરના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ વધી ગઈ છે અને તેમના ભવિષ્યને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે.