દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડમાં તિહાર જેલમાં સજા કાપી રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવતાની સાથે જ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરીને રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ આગામી 2 દિવસમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. તો આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જો રાજીનામું આપવું જ પડશે તો બે દિવસની રાહ શા માટે? આજે રવિવાર છે, સોમવાર રજા છે, એટલા માટે અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ બે દિવસ પછી રાજીનામું આપી દેશે. અરવિંદ કેજરીવાલ મંગળવારે સીએમ પદ પરથી રાજીનામું આપશે.

