Yogi Adityanath Namaz on road UP: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસ્તા પર નમાજ પઢવાને લઈને ફરી એકવાર ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. લખનઉમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સીએમ યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રસ્તાઓ લોકોના આવવા-જવા માટે છે, ભીડ ભેગી કરવા માટે નહીં. બકરીદના તહેવારના બરાબર એક અઠવાડિયા પહેલા આપેલા આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે અને વિપક્ષી દળોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

