રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને દેવઘર ઘાસચારા કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા લાલુ યાદવના જામીન રદ કરવા માટે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાઈકોર્ટના જામીન આપવાના નિર્ણયમાં હવે કોઈ દખલગીરી કરવા માંગતા નથી.

