Ahmedabad Rath Yatra 2026: આજે અષાઢી બીજના પવિત્ર અવસરે અમદાવાદ શહેર 'જય જગન્નાથ' અને 'જય રણછોડ'ના ગગનભેદી નાદ સાથે ભક્તિમય બન્યું છે. લાખો શ્રદ્ધાળુઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો પરંપરાગત રીતે ભવ્ય પ્રારંભ થયો છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધા બાદ રથયાત્રાની વિધિવત તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

