અયોધ્યામાં આવેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં ચઢાવાની ચોરીના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમએ પોતાનો ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં જ આ રિપોર્ટ ઉત્તર પ્રદેશની યોગી સરકારને સોંપવામાં આવી શકે છે. આ રિપોર્ટમાં મંદિરની વ્યવસ્થા, જવાબદાર લોકોની ભૂમિકા અને ચોરીના મુખ્ય કારણો વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. રિપોર્ટ મળ્યા બાદ સરકાર કડક કાનૂની કાર્યવાહી કરશે.

