Shivraj Patil Died: ભારતીય રાજકારણના એક અનુભવી અને શાંત સ્વભાવના નેતા, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શિવરાજ પાટિલનું શુક્રવારે લાતૂરમાં અવસાન થયું છે. 90 વર્ષની વયે તેમણે તેમના નિવાસસ્થાને સવારે લગભગ 6:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા અને તેમની સારવાર ઘરે જ ચાલી રહી હતી. તેમના નિધન સાથે જ કોંગ્રેસ પાર્ટી અને ભારતીય રાજકારણમાં એક મોટી ખોટ પડી છે, અને સમગ્ર રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છે.

