ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે સાંજે રાજકોટમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. રાજ્ય સરકારે તેમના સન્માનમાં આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આજે રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે, અને કોઈ સત્તાવાર મનોરંજનના કાર્યક્રમો યોજાશે નહીં.