Parshottam Rupala: રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ અટકી રહ્યો નથી. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા અપાયેલા કોલ મુજબ સૌરાષ્ટ્રના બે મોટા જિલ્લા રાજકોટ અને કચ્છમાં ધર્મ રથનો પ્રારંભ કરાયો હતો. આ ધર્મરથ અલગ-અલગ ગામડાઓમાં ફરશે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે.

