કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સિવાય બધા જાણે છે કે ભારત એક 'મૃત અર્થતંત્ર' છે. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો છે કે અમેરિકા સાથેનો વેપાર સોદો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શરતો પર થશે.