Ayushman Bharat Yojana: પ્રાઇવેટ હોસ્પિટલોનું કહેવું છે કે યોજના હેઠળ નક્કી કરેલા ઓછા દરો અને ચુકવણીમાં થતી વિલંબ તેમના માટે કામગીરીને મુશ્કેલ બનાવી રહ્યા છે. ભારત સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારી આંકડાઓ મુજબ, આ યોજના શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં 600થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વેચ્છાએ તેમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.