વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બીકાનેરમાં એક જનસભાને સંબોધતા પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, "જે લોકો હિન્દુસ્તાનની બહેનોનું સિંદૂર ઉજાળવા નીકળ્યા હતા, તેમને આપણે માટીમાં મેળવી દીધા છે. જે લોકો ભારતનું લોહી વહેવડાવતા હતા, તેમનો આજે ટુકડે-ટુકડે હિસાબ ચૂકવવામાં આવ્યો છે." આ નિવેદન તેમણે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં આપ્યું, જેમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને મહિલાઓનું સિંદૂર ઉજાળ્યું હતું.