Air India Scam: એર ઈન્ડિયા લીઝ કૌભાંડ કેસમાં સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આરોપ છે કે યુપીએ સરકારના સમયમાં એર ઈન્ડિયાના લીઝ મામલે અનિયમિતતાઓને કારણે લગભગ 860 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તે સમયે પ્રફુલ પટેલ ઉડ્ડયન મંત્રી હતા. હવે કોંગ્રેસનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ મનમોહન સિંહની માફી માંગવી જોઈએ. યુપીએ સરકાર પર ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. મોદી સરકારે પણ દેશની જનતાની માફી માંગવી જોઈએ.