આજે લોકસભાની કાર્યકારી સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ સરકારે કહ્યું હતું કે, 'અમે કાલે વકફ સુધારા બિલ લાવી રહ્યા છીએ.' આ બિલ પર ચર્ચા કરવા માટે આવતીકાલે લોકસભામાં આઠ કલાકનો સમય રાખવામાં આવ્યો છે. આ બિલ પર ચર્ચા થતાં જ વિપક્ષી સભ્યોએ વોકઆઉટ કરી દીધો, જ્યારે સ્પીકરે કહ્યું કે જો ગૃહની ભાવના પરવાનગી આપે તો આ બિલ પર ચર્ચાનો સમય લંબાવી શકાય છે. સરકારે કહ્યું છે કે કેથોલિક ચર્ચે આ બિલને સમર્થન આપ્યું છે, જે ખુશીની વાત છે.

