Get App

ગુજરાતમાં 'SIR'ની કામગીરી 90% પૂર્ણ: 40 લાખ મતદારોના નામ કપાશે, જાણો સમગ્ર પ્રક્રિયા અને કારણો

Gujarat Voter List: ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR) અભિયાનની 90% કામગીરી પૂર્ણ થતા મોટો ખુલાસો. મૃત્યુ, કાયમી સ્થળાંતર અને ડુપ્લિકેટ નામોને કારણે અંદાજે 40.12 લાખ મતદારોના નામ નવી યાદીમાંથી દૂર કરવામાં આવશે. જાણો સંપૂર્ણ વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Dec 02, 2025 પર 12:48 PM
ગુજરાતમાં 'SIR'ની કામગીરી 90% પૂર્ણ: 40 લાખ મતદારોના નામ કપાશે, જાણો સમગ્ર પ્રક્રિયા અને કારણોગુજરાતમાં 'SIR'ની કામગીરી 90% પૂર્ણ: 40 લાખ મતદારોના નામ કપાશે, જાણો સમગ્ર પ્રક્રિયા અને કારણો
ગુજરાતમાં આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે શરૂ કરાયેલ મતદાર યાદી સુધારણા (SIR) કાર્યક્રમ હવે અંતિમ તબક્કામાં છે.

Gujarat Voter List: ગુજરાતમાં આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે શરૂ કરાયેલ મતદાર યાદી સુધારણા (SIR) કાર્યક્રમ હવે અંતિમ તબક્કામાં છે. રાજ્યમાં આ અભિયાન અંતર્ગત લગભગ 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેના પરિણામે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. નવી મતદાર યાદી તૈયાર થયા બાદ રાજ્યના લગભગ 40 લાખ મતદારોના નામ યાદીમાંથી કમી થઈ શકે છે.

શા માટે 40 લાખ નામો રદ થશે?

ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાં રહેલી ભૂલોને સુધારવાનો હતો. આ પ્રક્રિયા દરમિયાન ત્રણ મુખ્ય કારણોસર નામોને દૂર કરવામાં આવી રહ્યા છે:

મૃત્યુ પામેલા મતદારો: રાજ્યની મતદાર યાદીમાં 15.58 લાખથી વધુ એવા નામો હતા જેમના ધારકોનું અવસાન થઈ ચૂક્યું છે.

કાયમી સ્થળાંતરિત મતદારો: 21.86 લાખથી વધુ મતદારો એવા મળી આવ્યા છે જેઓ તેમના નોંધાયેલા સરનામેથી કાયમ માટે અન્યત્ર સ્થળાંતર કરી ચૂક્યા છે.

ડુપ્લિકેટ (રિપીટેડ) મતદારો: 2.68 લાખથી વધુ મતદારોના નામ એક કરતાં વધુ વખત યાદીમાં નોંધાયેલા હતા, જે હવે દૂર કરવામાં આવશે.

આમ, કુલ મળીને 40.12 લાખ જેટલા મતદારોના નામ નવી યાદીમાંથી દૂર કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં નિષ્પક્ષ અને સચોટ મતદાન સુનિશ્ચિત કરી શકાય. આ ઉપરાંત, સર્વે દરમિયાન 4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જણાયા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો