ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ તેમની સાર્વજનિક ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના ‘ગુમશુદા’ હોવાનો મુદ્દો ઉઠાવીને સરકારને સવાલોના કટઘરે ઉભી કરી.