Rashtriya Shikshak Puraskar: વર્ષ 2023માં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે દેશભરમાં કુલ 75 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બરે આ તમામ 75 શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડ આપવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. પસંદગી પામેલા પુરસ્કારોમાં 50 શાળાના શિક્ષકો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના 13 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના 12 શિક્ષકોનો સમાવેશ થાય છે.

