ભારતીય રેલ્વે તેના ફૂડને લઈને અવારનવાર વિવાદોમાં રહે છે. ક્યારેક મુસાફરને ખોટું ભોજન પીરસવામાં આવે છે. કેટલીકવાર ખોરાકમાંથી વંદો નીકળવાની ફરિયાદો જોવા મળે છે. તેવી જ રીતે ફરી એકવાર વંદે ભારતના ભોજનને લઈને વિવાદ થયો છે. શિરડીથી મુંબઈ જઈ રહેલા મુસાફરને ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાં કઠોળમાં જીવંત વંદો મળી આવ્યો હતો. આ પછી પેસેન્જરે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ વીડિયો વાયરલ થતાં જ રેલવે પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટના બિઝનેસમેન રિક્કી જેસવાણી સાથે બની હતી.

