Ram Mandir Flag Hoisting: અયોધ્યાના રામ મંદિરમાં ધ્વજારોહણની તૈયારીઓએ જોર પકડ્યું છે. આવનારી 25 નવેમ્બરે આ ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં ઉપસ્થિત રહીને ધ્વજ લહેરાવશે. મંદિરનું નિર્માણ અને શિખરનું કામ પૂર્ણ થયા બાદ આ ધ્વજારોહણ ભગવાન રામ પ્રત્યેની લોકોની ભક્તિનું પ્રતીક બનશે.

