Amarnath Yatra: આ વર્ષની પવિત્ર શ્રી અમરનાથ યાત્રામાં શિવભક્તોનો અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યાએ છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોજ હજારોની સંખ્યામાં ભક્તો કાશ્મીર પહોંચી રહ્યા છે. ભીડ એટલી બધી છે કે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ સાથે જ યાત્રાળુઓ માટે એક નવી એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે.

