ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થવાની તૈયારીઓ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેદારનાથ ધામના કપાટ ખુલે તે પહેલાં રુદ્રપ્રયાગ જિલ્લામાં ઘોડા અને ખચ્ચરોમાં એક્વાઇન ઇન્ફ્લુએન્ઝા વાયરસની પુષ્ટિ થઈ છે. યાત્રા માર્ગ પર 12 અશ્વવંશી પશુઓમાં આ વાયરસ જોવા મળતાં ધામી સરકારે તાત્કાલિક સતર્કતા દાખવી છે.