પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ઇઝરાયલના તાજેતરના કતર હુમલાની નિંદા કરીને ખાડી દેશો અને મુસ્લિમ રાષ્ટ્રો સાથે એકતા દર્શાવવાનું એલાન કર્યું છે. આ નિર્ણયથી પાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધવાની શક્યતા છે. શરીફ ગુરુવારે કતરની મુલાકાતે જશે, જ્યાં તેઓ કતરના અમીર શેખ તમીમ બિન હમદ આલ થાની સાથે મુલાકાત કરશે અને ઇઝરાયલના હુમલા બાદ કતરના લોકો અને નેતૃત્વ પ્રત્યે સમર્થન વ્યક્ત કરશે.