GST Reforms and Indian Economy: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે નવી જનરેશનના GST સુધારણા દ્વારા ભારતીય અર્થતંત્રમાં 2 લાખ કરોડનો ઉમેરો થશે. આ સુધારણાથી લોકોના હાથમાં વધુ નાણાં બચશે, કારણ કે આ રકમ હવે ટેક્સ તરીકે સરકાર પાસે નહીં જાય. "નેક્સ્ટ-જનરેશન GST" હેઠળ ચાર ટેક્સ સ્લેબ (5%, 12%, 18%, 28%)ને ઘટાડીને માત્ર બે સ્લેબ (5% અને 18%) કરવામાં આવ્યા છે, જે 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.