Get App

Death Certificate: વડોદરા મનપાની જન્મ-મરણની ઓફિસે જીવિત વૃદ્ધાને મોકલ્યો મરણનો દાખલો! પંચનામું કરી હયાતીનો દાખલો કઢાવ્યો

Death Certificate: કચેરી દ્વારા કરજણ તાલુકાના હાંડોદ ગામના રહેવાસી વિધવા વૃદ્ધ ઝવેરબેન ખુશાલભાઈ પરમાર હયાત હોવા છતાં તેમનો મરણનો દાખલો પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવ્યો હતો. મરણના દાખલામાં ઝવેરબેન પરમારની મૃત્યુની તારીખ 17 જુલાઈ 2023ના રોજ સયાજી હોસ્પિટલ, વડોદરામાં જણાવાયું છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 08, 2023 પર 11:46 AM
Death Certificate: વડોદરા મનપાની જન્મ-મરણની ઓફિસે જીવિત વૃદ્ધાને મોકલ્યો મરણનો દાખલો! પંચનામું કરી હયાતીનો દાખલો કઢાવ્યોDeath Certificate: વડોદરા મનપાની જન્મ-મરણની ઓફિસે જીવિત વૃદ્ધાને મોકલ્યો મરણનો દાખલો! પંચનામું કરી હયાતીનો દાખલો કઢાવ્યો
પરિવારજનો દ્વારા આ બાબતે ગ્રામ પંચાયતમાં જઈને જાણ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા ઝવેરબેન પરમારની હયાતીનું પંચનામું કરવામાં આવ્યું હતું.

Death Certificate: વડોદરા મહાનગર સેવા સદનની જન્મ-મરણની કચેરીમાં ચાલતા અંધેર વહીવટી તંત્રનો એક કિસ્સો સામે આવ્યો છે. જન્મ-મરણની કચેરી દ્વારા કરજણ તાલુકાના હાંડોદ ગામની વિધવા વૃદ્ધા જીવિત હોવા છતાં, તેઓનો મરણ દાખલો તૈયારી કરી વૃદ્ધાના ઘરે પોસ્ટ દ્વારા મોકલી આપ્યો હતો. મરણનો દાખલો જોઈ વૃદ્ધા અને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. મરણનો દાખલો આવતા પરિવારજનોને ગ્રામ પંચાયત પાસે પંચનામું કરાવી હયાતીનો દાખલો લેવાની ફરજ પડી હતી.

પોસ્ટ દ્વારા દાખલો પહોંચ્યો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામના પરમાર ફળિયામાં રહેતા વિધવા મહિલા ઝવેરબેન ખુશાલભાઈ પરમાર જીવિત હોવા છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણની કચેરી દ્વારા તેઓના ઘરે ઝવેરબેન ખુશાલભાઈ પરમારનો મરણનો દાખલો પહોંચ્યો હતો. આથી પુત્ર સહિત પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.

પરિવારમાં ચિંતાનું મોજું

બધા સમાચાર

+ વધુુ વાંચો