Refrigerator Explodes: જલંધરમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. ઘરમાં રાખેલા રેફ્રિજરેટરમાં વિસ્ફોટ થવાને કારણે આ દુઃખદ ઘટના બની હતી. રેફ્રિજરેટર ફાટ્યા બાદ ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. રેફ્રિજરેટરમાં વિસ્ફોટ થવાના અહેવાલો સામાન્ય નથી. તાજેતરમાં આવી બીજી કોઈ ઘટના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. પરંતુ એ વાત 100 ટકા સાચી છે કે રેફ્રિજરેટર ફાટી શકે છે અને મોટી દુર્ઘટના સર્જી શકે છે. જાલંધરના અવતાર નગરની તાજેતરની ઘટના ચેતવણી આપી રહી છે કે તમે પણ ફ્રિજના મામલે સાવધાન થઈ જાવ.

