જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકો, મોટાભાગે પર્યટકો, માર્યા ગયા હતા, જેના પગલે ભારતના 140 કરોડ નાગરિકોમાં પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. જો આ તણાવ યુદ્ધમાં પરિણમે અને બંને દેશો વચ્ચે મિસાઈલ હુમલાઓની બારિશ થાય, તો તેનો આર્થિક ખર્ચ કેટલો હશે? નિષ્ણાતોના મંતવ્યો અને વિશ્લેષણો આ મુદ્દે ગંભીર ચેતવણીઓ આપી રહ્યા છે.