Ahmedabad Air India Crash: ગત 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 241 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ સહિત 260 લોકોના મોત થયા હતા. આ હાદસાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તપાસમાં વિલંબ અને અટકળોને લઈને અનેક સવાલો ઉભા થયા છે.