Indian Railways ticket date change: યાત્રીઓ માટે ભારતીય રેલવેમાં એક મોટી રાહતની ખબર આવી છે. હવે તમે તમારી બુક કરેલી કન્ફર્મ ટ્રેન ટિકિટની તારીખ બદલી શકશો, અને તે પણ વધારાના કોઈ ચાર્જ વિના. આ સુવિધા જાન્યુઆરી 2026થી લાગુ થશે, જેની જાહેરાત રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે. આ નવી પોલિસીથી લાખો યાત્રીઓને ફાયદો થશે, જેમને અણધારી રીતે તારીખ બદલવી પડે છે અને કેન્સલેશનમાં પૈસા ગુમાવવા પડે છે.

