High Value Transactions:ભારતમાં ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શનને વધુ સિક્યોર અને સરળ બનાવવા માટે એક મોટું પગલું લેવાઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) ટૂંક સમયમાં હાઇ વેલ્યૂએશનના ટ્રાન્જેક્શન માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટીકેશન પ્રણાલી અમલમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ વિશે માહિતી આપી હતી. પીટીઆઈના અહેવાલ અનુસાર, ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં એક પેનલ ચર્ચા દરમિયાન UIDAIના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અભિષેક કુમાર સિંહે આ સંભવિત ફેરફાર વિશે વાત કરી હતી.

