Get App

'સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી...', સોનમ વાંગચુકની પત્ની પહોંચ્યા હાઈકોર્ટ, પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવા કરી મોટી માંગ

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિએ મેડિકલ રિપોર્ટમાં ગરબડનો આરોપ લગાવ્યો છે. યોગ્ય સારવાર માટે તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 19, 2026 પર 1:52 PM
'સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી...', સોનમ વાંગચુકની પત્ની પહોંચ્યા હાઈકોર્ટ, પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવા કરી મોટી માંગ'સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી...', સોનમ વાંગચુકની પત્ની પહોંચ્યા હાઈકોર્ટ, પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવા કરી મોટી માંગ
ગીતાંજલિ આંગ્મોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલ પ્રશાસન તેમને રજા આપવા કે અન્ય કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની મંજૂરી જ નથી આપી રહ્યું.

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જાણીતા પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મોએ હોસ્પિટલ પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગીતાંજલિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમને આ સરકારી હોસ્પિટલ પર હવે જરાય ભરોસો નથી રહ્યો. આ મામલે તેમણે સોનમ વાંગચુકને તાત્કાલિક કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ કરી દીધી છે. નોંધનીય છે કે, વાંગચુક છેલ્લા 3 અઠવાડિયાથી દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠા હતા. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના આદેશથી જ તેમને સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મેડિકલ રિપોર્ટમાં ગરબડનો મોટો આરોપ

ગીતાંજલિ આંગ્મોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે વાંગચુકના પોટેશિયમ તપાસના રિપોર્ટમાં મોટી ગરબડ થઈ હોવાનો સનસનીખેજ દાવો કર્યો છે. ડોક્ટરોએ પરિવારને જણાવ્યું કે વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઘટીને 2.9 થઈ ગયું છે, જે ખૂબ જ જોખમી છે. પરિવારે બહારની એક સ્વતંત્ર પ્રાઈવેટ લેબમાં ટેસ્ટ કરાવ્યો, તો તેમાં પોટેશિયમનું સ્તર 3.5 આવ્યું હતું, જે ડોક્ટરી ભાષામાં એકદમ નોર્મલ મનાય છે.

આ રિપોર્ટમાં મોટો તફાવત આવ્યા બાદ જ પરિવારે યોગ્ય અને પારદર્શક ઈલાજ માટે તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવાની માંગ ઉઠાવી છે.

સફદરજંગ હોસ્પિટલે શું કહ્યું?

સામે પક્ષે સફદરજંગ હોસ્પિટલનું કહેવું છે કે, સોનમ વાંગચુકની હાલત અત્યારે એકદમ સ્થિર છે અને તેઓ સંપૂર્ણપણે ભાનમાં છે. જોકે, લાંબી ભૂખ હડતાળના કારણે તેમના શરીરમાં પાણીની કમીના લક્ષણો દેખાઈ રહ્યા છે. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડોક્ટરોની વારંવારની સમજાવટ અને સલાહ છતાં વાંગચુકે મોઢેથી કોઈ પણ પ્રવાહી લેવાની કે નસ દ્વારા ફ્લુઈડ લેવાની સાફ ના પાડી દીધી છે.

'આ તો ગેરકાયદેસર અટકાયત છે...'

બધા સમાચાર

+ વધુુ વાંચો