India Pakistan Tensions: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લેવાયા, જેમાં સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય પણ સામેલ છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી પાકિસ્તાન સીમાપાર આતંકવાદને સંપૂર્ણપણે બંધ નહીં કરે, ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે.