રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની જામનગર રિફાઈનરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે જામનગરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાણી પરિવાર સહિત રિફાઈનરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અંબાણી પરિવારના લોકોએ સંબોધન કર્યું ત્યારે અંબાણી પરિવારના જામનગર પ્રત્યેના અદભૂત લગાવની ઝલક જોવા મળી હતી. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે જામનગરમાં વિશ્વની ટોચની રિફાઈનરી સ્થાપવાનું સપનું જોયું હતું.