ભારતમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને મોબાઈલ ફોન ચોરીના બનાવોને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના દૂરસંચાર મંત્રાલયે તમામ સ્માર્ટફોન નિર્માતા કંપનીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવેથી વેચાતા દરેક નવા ફોનમાં સરકારની 'સંચાર સાથી' એપ પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. સૌથી અગત્યની વાત એ છે કે યુઝર્સ આ એપને પોતાની જાતે ડિલીટ કે અનઇન્સ્ટોલ કરી શકશે નહીં.

