Get App

Janmashtami 2023 : કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે ? જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Janmashtami 2023: સનાતન ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ શુભ અવસર પર બાળ ગોપાલ અને શાલિગ્રામની વિશેષ પૂજા અને અભિષેક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપની ભક્તિભાવથી પૂજા કરવાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિ મળે છે અને તમામ કાર્યોમાં સફળતા મળે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 04, 2023 પર 11:22 AM
Janmashtami 2023 : કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે ? જાણો સાચી તારીખ અને શુભ મુહુર્તJanmashtami 2023 : કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે ? જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત
Janmashtami 2023: કૃષ્ણ જન્મોત્સવ બાદ કૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને મધ્યરાત્રિના 12 વાગ્યા પછી પારણા કરવામાં આવે છે.

Janmashtami 2023: કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો. આ શુભ અવસર પર કૃષ્ણ ભક્તો ઉપવાસ રાખે છે અને જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આ દિવસે ભગવાનના બાળ સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે. કૃષ્ણ જન્મોત્સવ બાદ કૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને મધ્યરાત્રિના 12 વાગ્યા પછી પારણા કરવામાં આવે છે. આમ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા હંમેશા ભક્તો પર બની રહે છે અને જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ વર્ષ 2023 માં જન્માષ્ટમીની તારીખ,શુભ સમય અને મહત્વ વિશે.

કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે ?

વૈદિક કેલેન્ડર મુજબ, આ વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ 6 સપ્ટેમ્બર, 2023 ના રોજ લગભગ 3:37 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બર, 2023 ના રોજ સાંજે 4:14 વાગ્યે સમાપ્ત થશે. આ સાથે રોહિણી નક્ષત્ર 6 સપ્ટેમ્બરે સવારે 9:21 વાગ્યે શરૂ થશે અને રોહિણી નક્ષત્ર 7મીએ સવારે 10:25 વાગ્યે સમાપ્ત થશે. જણાવી દઈએ કે ભગવાન કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. એટલા માટે આ વર્ષે 6 સપ્ટેમ્બરે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે જન્માષ્ટમીનું વ્રત રાખવાથી અને ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વિશેષ લાભ થશે.

પૂજા માટે શુભ સમય

બધા સમાચાર

+ વધુુ વાંચો