મહાસંકટ! હિમાલયના ગ્લેશિયર ઝડપથી પીગળ્યા, ભારત સહિત 16 દેશોના 2 અબજ લોકો પર પીવાના પાણીનું મોટું જોખમ
Water crisis in Asia: ICIMODના તાજેતરના રિપોર્ટ મુજબ હિન્દુ કુશ પર્વતમાળામાં બરફ ઝડપથી પીગળી રહ્યો છે. આનાથી ગંગા-બ્રહ્મપુત્રા જેવી 12 નદીઓ સુકાઈ શકે છે અને 2 અબજ લોકોને પીવાનું પાણી નહીં મળે. જાણો આ મહાસંકટની પૂરી વિગત.
નવા રિસર્ચ મુજબ, હિમાલય અને હિન્દુ કુશ પર્વતમાળામાં આવેલી વિશાળ હિમનદીઓ એટલે કે ગ્લેશિયર અત્યંત ઝડપથી પીગળી રહી છે. જો આ જ રીતે બરફ ઓગળતો રહ્યો, તો આવનારા સમયમાં એશિયાના લગભગ 2 અબજ લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડશે.
Water crisis in Asia: જો તમે એમ માનતા હોવ કે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ માત્ર પુસ્તકોના વિષયો છે, તો આ તાજેતરના અહેવાલો તમારી આંખો ખોલી નાખશે. નેપાળના કાઠમંડુ સ્થિત સંસ્થા 'ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ' (ICIMOD) દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે, જે ભારત સહિત સમગ્ર એશિયા માટે લાલ બત્તી સમાન છે.
નવા રિસર્ચ મુજબ, હિમાલય અને હિન્દુ કુશ પર્વતમાળામાં આવેલી વિશાળ હિમનદીઓ એટલે કે ગ્લેશિયર અત્યંત ઝડપથી પીગળી રહી છે. જો આ જ રીતે બરફ ઓગળતો રહ્યો, તો આવનારા સમયમાં એશિયાના લગભગ 2 અબજ લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડશે.
12 મોટી નદીઓ અને 16 દેશો પર સીધી અસર
હિન્દુ કુશ પર્વતમાળાનો બરફ એશિયાની અનેક નદીઓનો મુખ્ય જીવાદોરી છે. આ બરફ પીગળીને ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ, સાલ્વીન, મેકોન્ગ, યાંગત્ઝે, યલો, અમુ દર્યા અને તરીમ જેવી 12 મોટી નદીઓમાં વહે છે. આ નદીઓ ભારત સહિત એશિયાના 16 દેશોમાંથી પસાર થાય છે.
આ વિસ્તારોમાં પહાડો પર રહેતા 24 કરોડ લોકો અને નદીના તટ પ્રદેશોની આસપાસ વસતા લગભગ 1 અબજ 65 લાખ જેટલા નાગરિકોની તરસ આ જ નદીઓના પાણીથી છીપાય છે. બરફ ઘટવાથી આ તમામ લોકો માટે પીવાના પાણીની તીવ્ર તંગી સર્જાશે.
નવા અભ્યાસની ચોંકાવનારી બાબતો
માહિતીને વધુ સરળતાથી સમજવા માટે આ રિપોર્ટના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ:
80% બરફ ખતમ થવાનો ડર: વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસ (જેમ કે કાર્બન ડાયોક્સાઈડ, મિથેન, ઓઝોન વગેરે) નું પ્રમાણ સતત વધી રહ્યું છે. જો તેને કાબુમાં નહીં લેવાય, તો આ સદીના અંત સુધીમાં હિન્દુ કુશ પર્વતમાળામાંથી 80 ટકા જેટલો બરફ ગાયબ થઈ જવાની પૂરી શક્યતા છે.
માઉન્ટ એવરેસ્ટ પર ભયંકર અસર: આંકડાઓ એટલા ડરામણા છે કે, માઉન્ટ એવરેસ્ટની હિમનદીઓમાં જે બરફને પીગળતા 2000 વર્ષ લાગવા જોઈએ, તેટલો વિશાળ બરફનો જથ્થો માત્ર છેલ્લા 30 વર્ષમાં જ પીગળી ગયો છે.
પૂર અને તોફાનનો ખતરો: બરફ અચાનક અને ઝડપથી પીગળવાને કારણે નદીઓમાં અચાનક ભયંકર પૂર આવવાની અને બરફના તોફાનોની ઘટનાઓ ભવિષ્યમાં ખૂબ વધી જશે.
નિર્દોષ લોકો એ સહન કરવું પડશે
આ સંશોધન સાથે જોડાયેલા અને સ્થળાંતર પ્રક્રિયાના નિષ્ણાત વિજ્ઞાની અમીના મહાજને ખૂબ જ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, પર્વતમાળામાં અને નદી કિનારે રહેતા આ નિર્દોષ લોકોએ ગ્લોબલ વોર્મિંગ નથી વધાર્યું. આમ છતાં, બીજાની ભૂલોની સૌથી મોટી સજા આ નાગરિકોને ભોગવવી પડશે અને તેમને ભવિષ્યમાં પીવાનું પાણી સુદ્ધા ન મળે તેવા કપરા સંજોગો ઊભા થશે.
આ રિપોર્ટ સાબિત કરે છે કે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે વિશ્વની જુદી જુદી સરકારો હાલ જે કંઈ પણ પ્રયાસો કરી રહી છે, તે સાવ અપૂરતા છે. જો તાત્કાલિક કોઈ મોટા અને નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આવનારી પેઢી માટે જળસંકટ એક કાળો ઇતિહાસ બની જશે.