મેટાએ સીઈઓ માર્ક ઝુકરબર્ગના નિવેદન બદલ માફી માંગી છે. ઝુકરબર્ગે ગયા વર્ષે લોકસભા ચૂંટણી વિશે ખોટી માહિતી એક ખાનગી ચેનલ ધ જો રોગન એક્સપિરિયન્સ સાથે પોડકાસ્ટમાં શેર કરી હતી. આ અંગે, સંસદીય સમિતિએ મેટાને સમન્સ પાઠવવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરી હતી. મેટાએ માર્ક ઝુકરબર્ગના નિવેદન માટે માફી માંગી છે અને તેને 'અજાણતાં થયેલી ભૂલ' ગણાવી છે.