National Engineers Day 2023: એન્જિનિયરોને રાષ્ટ્રના ઘડવૈયા કહેવામાં આવે છે કારણ કે તેઓ જ આપણા વિઝનને વાસ્તવિકતા આપે છે. કોઈપણ પ્રોજેક્ટમાં ડિઝાઇનિંગથી લઈને તેના બાંધકામ સુધી એન્જિનિયર્સ મોટી ભૂમિકા ભજવે છે. આવા એન્જિનિયરોને સન્માનિત કરવા માટે, ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ નેશનલ એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસની ઉજવણી માટે 15 સપ્ટેમ્બરની તારીખ કેમ પસંદ કરવામાં આવી તેની પાછળ એક ખાસ કારણ છે.

