તાજેતરમાં કેરળના મલપ્પુરમ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં નિપાહ વાયરસના સંક્રમણથી 24 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે રવિવારે આ જાણકારી આપી. જ્યોર્જે કહ્યું કે પ્રાદેશિક તબીબી અધિકારીએ મૃત્યુના કારણની તપાસ કર્યા પછી નિપાહ સંક્રમણની શંકા હતી.

