વિશ્વ પ્રસિદ્ધ મેકડોનાલ્ડ કંપનીનું બર્ગર ખાવાથી એક વ્યક્તિના મોત અને અનેક લોકોમાં ગંભીર ચેપ ફેલાવાથી સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. હવે લોકો મેકડોનાલ્ડના બર્ગર ખાવાથી ડરે છે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં પ્રખ્યાત ફૂડ ચેન 'મેકડોનાલ્ડ'ના બર્ગર ખાવાથી E.coli બેક્ટેરિયા ચેપ ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. આ પછી અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ લોકો તંગ બની ગયા હતા. જેના કારણે મેકડોનાલ્ડ કંપનીની રેપ્યુટેશન ખરાબ થવાનું શરૂ થઈ ગયું હતું. મેકડોનાલ્ડનું બર્ગર ખાધા પછી લોકો બીમાર પડવાના સમાચારથી કંપનીના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. તેથી, હવે કંપનીના અધિકારીઓએ આ બાબતે લોકોને ખાતરી આપવા માટે તેમના તરફથી નિવેદન જારી કર્યું છે.

