Chandrayaan-3 Landing: "વડાપ્રધાન ચંદ્રયાન લેન્ડિંગ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ISRO સાથે જોડાશે," ઓફિશિયલ સૂત્રોએ જણાવ્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું ત્રીજું ચંદ્ર મિશન, ચંદ્રયાન-3, બુધવારે સાંજે 6:04 વાગે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થવાનું છે. જો લેન્ડર લેન્ડિંગમાં સફળ થાય છે, તો તે પ્રથમ વખત હશે કે કોઈ અવકાશયાન આ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કરશે.
ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ માટે વિદેશમાં પણ હવન
દેશના અનેક ભાગોમાં પૂજા-પ્રાર્થના
બીજી તરફ ભારતની વાત કરીએ તો દેશભરમાં લોકો હવન અને પ્રાર્થના કરી રહ્યા છે. ભારતના ત્રીજા ચંદ્ર મિશન પહેલા ઋષિકેશના પરમાર્થ નિકેતન ઘાટ ખાતે ગંગા આરતી કરવામાં આવી હતી. ભુવનેશ્વર, વારાણસી અને પ્રયાગરાજમાં લોકોએ ચંદ્રયાન-3 લેન્ડરના સફળ લેન્ડિંગ માટે 'હવન' કર્યો અને પ્રાર્થના કરી. વડોદરાના બાળકોના જૂથે પણ ચંદ્રયાન-3ના સુરક્ષિત લેન્ડિંગ માટે પ્રાર્થના કરી હતી. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે લખનઉમાં ભારતના ઇસ્લામિક સેન્ટરમાં પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.