Chandrayaan-3ના લેન્ડિંગ વખતે સાઉથ આફ્રિકાથી વર્ચ્યુઅલી જોડાશે PM મોદી, ઇસરોની સફળતા માટે દેશ-દુનિયામાં પ્રાર્થના | Moneycontrol Gujarati
Get App

Chandrayaan-3ના લેન્ડિંગ વખતે સાઉથ આફ્રિકાથી વર્ચ્યુઅલી જોડાશે PM મોદી, ઇસરોની સફળતા માટે દેશ-દુનિયામાં પ્રાર્થના

Chandrayaan-3 Landing: ચંદ્રયાન-3ના લેન્ડિંગ (Chandrayaan-3 Landing)ને લઈને તમામ ભારતીયોમાં ઉત્સુકતા છે. સમગ્ર દેશમાં ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. સાથે જ આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાની ઓફિશિયલ મુલાકાતે છે, પરંતુ ત્યાંથી વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં હાજરી આપશે.

અપડેટેડ 10:23:16 AM Aug 23, 2023 પર
Story continues below Advertisement
Chandrayaan 3: લેન્ડર લેન્ડિંગમાં સફળ થાય છે, તો તે પ્રથમ વખત હશે કે કોઈ અવકાશયાન આ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કરશે

Chandrayaan-3 Landing: "વડાપ્રધાન ચંદ્રયાન લેન્ડિંગ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ISRO સાથે જોડાશે," ઓફિશિયલ સૂત્રોએ જણાવ્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું ત્રીજું ચંદ્ર મિશન, ચંદ્રયાન-3, બુધવારે સાંજે 6:04 વાગે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થવાનું છે. જો લેન્ડર લેન્ડિંગમાં સફળ થાય છે, તો તે પ્રથમ વખત હશે કે કોઈ અવકાશયાન આ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કરશે.

ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ માટે વિદેશમાં પણ હવન

ચંદ્રયાન-3ના બુધવારે ચંદ્ર પર લેન્ડિંગના પ્રયાસ પહેલા વિશ્વભરમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે. લંડનમાં Uxbridge ખાતે ભારતીય વિદ્યાર્થીઓ અને સંશોધન વિદ્વાનોએ ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ માટે આદ્ય શક્તિ માતાજી મંદિરમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કર્યું હતું. દરમિયાન, ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ વર્જિનિયા, યુએસએમાં એક મંદિરમાં હવન કર્યું હતું.


દેશના અનેક ભાગોમાં પૂજા-પ્રાર્થના

બીજી તરફ ભારતની વાત કરીએ તો દેશભરમાં લોકો હવન અને પ્રાર્થના કરી રહ્યા છે. ભારતના ત્રીજા ચંદ્ર મિશન પહેલા ઋષિકેશના પરમાર્થ નિકેતન ઘાટ ખાતે ગંગા આરતી કરવામાં આવી હતી. ભુવનેશ્વર, વારાણસી અને પ્રયાગરાજમાં લોકોએ ચંદ્રયાન-3 લેન્ડરના સફળ લેન્ડિંગ માટે 'હવન' કર્યો અને પ્રાર્થના કરી. વડોદરાના બાળકોના જૂથે પણ ચંદ્રયાન-3ના સુરક્ષિત લેન્ડિંગ માટે પ્રાર્થના કરી હતી. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે લખનઉમાં ભારતના ઇસ્લામિક સેન્ટરમાં પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો - Chandrayaan 3: ચંદ્રયાન 3ની લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ, જાણો શું હોય છે 15 મિનિટ્સ ઓફ ટેરર?

MoneyControl News

MoneyControl News

First Published: Aug 23, 2023 10:23 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.