પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી: ચાર્જ સંભાળતા જ કહ્યું- PM મોદીની અપેક્ષાઓ પર ખરો ઉતરીશ, જાણો નવા પેપર લીક કાયદા વિશે
NEET પેપર લીક વિવાદ બાદ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતાં પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપાયો છે. સરકારે NTA ના 47 અધિકારીઓને બરતરફ કર્યા. જાણો પેપર લીક માટે આવતા નવા કાયદા અને કડક સજાની સંપૂર્ણ વિગતો.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પ્રહલાદ જોશી પાસે પહેલાથી જ ગ્રાહક બાબતોના મંત્રાલયનો ચાર્જ છે.
દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET UG પેપર લીક કાંડ બાદ મોદી કેબિનેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારે વિરોધ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું છે. તેમના સ્થાને હવે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પ્રહલાદ જોશી પાસે પહેલાથી જ ગ્રાહક બાબતોના મંત્રાલયનો ચાર્જ છે.
શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી મળ્યા બાદ પ્રહલાદ જોશીએ પોતાનું પહેલું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "મને હમણાં જ જાણ થઈ કે વડાપ્રધાને મને એક મોટી જવાબદારી સોંપી છે. વડાપ્રધાન મોદીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તે માટે હું તેમનો આભારી છું. હું આ ફરજ પૂરી નમ્રતાથી નિભાવીશ અને પીએમ મોદીની અપેક્ષાઓ પર ખરો ઉતરવાનો પૂરો પ્રયાસ કરીશ."
VIDEO | Delhi: After being appointed as Education Minister following Dharmendra Pradhan's resignation from the post, Union Minister Prahlad Joshi says, "I have just got to know that the Prime Minister has given me a responsibility. I accept this responsibility with a sense of… pic.twitter.com/o9LnWvjuOI
આ ઉપરાંત, તેમણે પૂર્વ શિક્ષણ મંત્રીના વખાણ કરતા કહ્યું કે, છેલ્લા 4-5 વર્ષમાં ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ ક્ષેત્રે અને ખાસ કરીને નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં શાનદાર કામ કર્યું છે. જોશીએ પીએમ મોદી સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળની ઐતિહાસિક સિદ્ધિઓને પણ યાદ કરી હતી.
નીટ પેપર લીક વિવાદ અને NTA પર કડક કાર્યવાહી
નીટ યુજી પરીક્ષાનું પેપર લીક થયા બાદ 'કોકરોચ જનતા પાર્ટી' ની આગેવાનીમાં આખા દેશમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ દબાણને પગલે સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં મોટા ફેરફારો કર્યા છે.
સરકારે તાત્કાલિક પગલાં લેતા 47 જેટલા અધિકારીઓને બરતરફ કર્યા છે. આ તમામ ભ્રષ્ટ અધિકારીઓ સામે ગુનાહિત કેસ પણ નોંધવામાં આવશે. જોકે, આટલી કાર્યવાહી છતાં લોકોનો રોષ શાંત ન થતાં આખરે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. આગામી દિવસોમાં સરકાર કોઈ નવા કાયમી શિક્ષણ મંત્રીના નામની જાહેરાત પણ કરી શકે છે.
પેપર લીક રોકવા માટે આવી રહ્યો છે નવો કડક કાયદો
હાલમાં સરકારનું પૂરું ધ્યાન સંસદના ચોમાસુ સત્ર પર છે. સરકાર સોમવારે લોકસભામાં પેપર લીક રોકવા માટે એક નવો સુધારા વિધેયક રજૂ કરવાની તૈયારીમાં છે. સરકારની કોશિશ રહેશે કે આ કાયદો જલ્દીથી જલ્દી પાસ થઈ જાય.
આ નવા કાયદા હેઠળ પેપર લીક કરનારા દોષિતોને માત્ર 3 મહિનાની અંદર સજા ફટકારવામાં આવશે.ગુનેગારોને 10 વર્ષની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીના જંગી દંડની કડક જોગવાઈ આ કાયદામાં રાખવામાં આવી છે.