દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET UG પેપર લીક કાંડ બાદ મોદી કેબિનેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારે વિરોધ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું છે. તેમના સ્થાને હવે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પ્રહલાદ જોશી પાસે પહેલાથી જ ગ્રાહક બાબતોના મંત્રાલયનો ચાર્જ છે.

