પૃથ્વી હાલ એક અસામાન્ય હવામાનના દુષ્ચક્રમાંથી પસાર થઈ રહી છે. ક્યાંક જ્વાળામુખી ફાટી રહ્યા છે, તો ક્યાંક વિનાશક ચક્રવાતો અને પૂર તબાહી મચાવી રહ્યા છે. દુનિયાના કેટલાક ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે, તો ક્યાંક ભૂસ્ખલન અને ભૂકંપના આંચકાઓએ વાતાવરણને અસ્થિર બનાવી દીધું છે. ઇતિહાસમાં આટલા મોટા પાયે ઋતુ પરિવર્તન ક્યારેય નોંધાયું નથી. આ બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને તેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. ભારત પણ આ કુદરતી આપદાના વૈશ્વિક પ્રભાવથી બાકાત નથી. નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે દેશે ચાલુ વર્ષે જે ભીષણ હવામાનની આફતોનો સામનો કર્યો છે, તે આગામી સમયમાં વધુ તીવ્ર બનશે. આ તમામ સમસ્યાઓના મૂળમાં QBO (ક્વાસી-બાયનીયલ ઓસિલેશન) નામની પર્યાવરણીય સ્થિતિનું ભંગાણ છે.

