ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લખનૌમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ ઉત્પાદન એકમનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, બ્રહ્મોસ માત્ર એક મિસાઇલ નથી, પરંતુ તે ભારતની લશ્કરી ક્ષમતા, આત્મનિર્ભરતાનું પ્રતીક છે અને આપણા વિરોધીઓને સ્પષ્ટ સંદેશ આપે છે કે આપણે દરેક મોરચે તૈયાર છીએ.