ખાસ રચના માટે જાણીતા ઓમ પર્વત પર બરફથી બનેલો 'ઓમ'નો આકાર ગાયબ થઈ ગયો છે. નિષ્ણાતોના મતે, તેનું ગાયબ થવું વૈશ્વિક અને સ્થાનિક પર્યાવરણીય સંકટને ઇશારો કરે છે. આ બરફ ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં ગાયબ થઈ ગયો હતો. વૈજ્ઞાનિકોના મતે આને ક્લાઈમેટ ચેન્જની અસર તરીકે જોઈ શકાય છે. આ પર્વત કૈલાશ માનસરોવર યાત્રાનો પણ એક મહત્વપૂર્ણ સ્ટોપ છે. ચીન સરહદને અડીને આવેલા લિપુલેખ સુધીના રસ્તાના નિર્માણ બાદ અહીં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

