Get App

Bullet train : બુલેટ ટ્રેનમાં જઇશું અમદાવાદથી દિલ્હી, જાણો કયા કયા સ્ટેશનોએ મળી શકે છે સ્ટોપેજ?

આ ગુજરાતની બીજી હાઈસ્પીડ રેલ હશે. આ બુલેટ ટ્રેનને કારણે અમદાવાથી દિલ્હીનું અંતર ઘણું ઘટી જશે અને લોકો માત્ર 3.5 કલાકમાં જ અમદાવાદથી રાજધાની પહોંચી શકાશે. અત્યારે આ મુસાફરી 12 કલાકની છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 18, 2024 પર 5:34 PM
Bullet train : બુલેટ ટ્રેનમાં જઇશું અમદાવાદથી દિલ્હી, જાણો કયા કયા સ્ટેશનોએ મળી શકે છે સ્ટોપેજ?Bullet train : બુલેટ ટ્રેનમાં જઇશું અમદાવાદથી દિલ્હી, જાણો કયા કયા સ્ટેશનોએ મળી શકે છે સ્ટોપેજ?
ભારત સરકારનું માનવું છે કે આનાથી પ્રવાસન પણ વધશે.

Bullet train : ભાજપે તેના ઢંઢેરામાં દેશના ચારેય ક્ષેત્રો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ માટે બુલેટ ટ્રેન ચલાવવાનું વચન આપ્યું છે. હાલ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત રેલવે હવે દિલ્હીથી અમદાવાદ સુધી પણ બુલેટ ટ્રેન દોડાવવાની યોજના તૈયાર કરી રહી છે. આ ગુજરાતની બીજી હાઈસ્પીડ રેલ હશે. આ બુલેટ ટ્રેનને કારણે દિલ્હીથી અમદાવાદનું અંતર ઘણું ઘટી જશે અને લોકો માત્ર 3.5 કલાકમાં રાજધાનીથી અમદાવાદ પહોંચી શકશે. હાલમાં આ યાત્રા 12 કલાકની છે.

રેલવેએ આ બુલેટ પ્રોજેક્ટ માટે ડીપીઆર એટલે કે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અંતર્ગત લેવાયેલા નિર્ણય મુજબ અમદાવાદ અને દિલ્હી વચ્ચે કુલ 11 સ્ટેશન હશે. આ ટ્રેન અમદાવાદથી ઉપડશે અને 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરીને પહેલા હિંમતનગર પહોંચશે. આ પછી ઉદયપુર, ભીલવાડા, ચિત્તોડગઢ, અજમેર, કિશનગઢ, જયપુર, રેવાડી અને માનેસર આવશે. માનેસર બાદ બુલેટ ટ્રેન સીધી દિલ્હી આવશે. હકીકતમાં આ પ્રોજેક્ટ ભારત સરકારની યોજનાનો એક ભાગ છે, જેના હેઠળ દેશના ચારેય ખૂણાઓને બુલેટ ટ્રેન દ્વારા જોડવામાં આવશે.

ભારત સરકારનું માનવું છે કે આનાથી પ્રવાસન પણ વધશે. આ બુલેટ ટ્રેન માટે અમદાવાદ અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે, જેનાથી મુસાફરોના 9 કલાકનો સમય બચશે અને મુસાફરી પણ આસાન બનશે. જોકે, આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. રેલવે સૂત્રોનું કહેવું છે કે બુલેટ ટ્રેનના આ રૂટ માટે ઓછામાં ઓછી જમીન સંપાદન કરવામાં આવશે. તેનું કારણ એ છે કે તેને દિલ્હી-અમદાવાદ વચ્ચેના હાલના રૂટ પર જ ચલાવવામાં આવશે અને તેની બાજુમાં એક અલગ ટ્રેક નાખવામાં આવશે. જો આમ થશે તો અલગથી વધુ જમીન સંપાદન કરવાની જરૂર રહેશે નહીં.

બધા સમાચાર

+ વધુુ વાંચો