26 ઓગસ્ટે નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં 1200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો હજુ પણ લાપતા છે. આ કુદરતી આફતે માત્ર નેપાળને જ નહીં, પરંતુ આખા હિમાલય ક્ષેત્રને હચમચાવી દીધું છે. આ ઘટનાએ એક એવી કુદરતી સમસ્યા તરફ ઈશારો કર્યો છે જે ગમે ત્યારે મોટું સ્વરૂપ લઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું આવો જ મોટો ખતરો ભારતના સિક્કિમ રાજ્ય પર પણ મંડરાઈ રહ્યો છે?

