પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવને લઈને પીએમ મોદી સતત બેઠકો કરી રહ્યા છે. દરમિયાન, પીએમ મોદી અને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર વચ્ચે આજે બેઠક શરૂ થઈ છે. આ પહેલા પીએમ મોદી રવિવારે એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહને મળ્યા હતા. બંને વચ્ચેની મુલાકાત લગભગ 40 મિનિટ ચાલી. બંને વચ્ચે સુરક્ષા અને સંરક્ષણ તૈયારીઓ અંગે ચર્ચા થઈ. આ દરમિયાન, એર ચીફ માર્શલ એપી સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પહેલગામ આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે ચર્ચા કરી.