Nipah Virus: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતુ કે કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત થયા છે. માંડવિયાએ કહ્યું કે નિપાહ વાયરસના ચેપ સાથે વ્યવહાર કરવામાં રાજ્ય સરકારને મદદ કરવા માટે નિષ્ણાતોની એક કેન્દ્રીય ટીમને કેરળ મોકલવામાં આવી છે.

