ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર.. અત્યાર સુધીમાં 8 મોત, જાણો તેના લક્ષણો અને સારવાર | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર.. અત્યાર સુધીમાં 8 મોત, જાણો તેના લક્ષણો અને સારવાર

ચાંદીપુરા વાયરસને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. ચાંદીપુરા વાયરસ એ RNA વાયરસ છે, જે સામાન્ય રીતે માદા ફ્લેબોટોમાઇન માખી દ્વારા ફેલાય છે. મચ્છરોમાં જોવા મળતા એડીસ તેના ફેલાવા માટે જવાબદાર છે. વર્ષ 1966માં પહેલીવાર મહારાષ્ટ્રમાં આ સાથે સંબંધિત મામલો સામે આવ્યો હતો.

અપડેટેડ 10:55:35 AM Jul 17, 2024 પર
Story continues below Advertisement
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળક મોતને ભેટ્યુ છે

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં એક જબરદસ્ત અને જીવલેણ વાયરસની એન્ટ્રી થઇ છે, આ વાયરસનું નામ ચાંદીપુરા છે, અને નાના બાળકોમાં આનું જોખમ સૌથી વધુ છે, આજે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળક મોતને ભેટ્યુ છે. ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વાયરસને કારણે વધુ ત્રણ વર્ષના બાળકના મોત થયા છે. નોંધનીય છે કે, રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ 8 બાળકોના મોત થયા છે.

થોડા વર્ષો પહેલા વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારી બાદ હવે એક નવા વાયરસે દસ્તક આપી છે. જેને ચાંદીપુરા વાયરસ કહેવામાં આવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. ગુજરાતમાં 8500 થી વધુ ઘરો અને 47 હજારથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે દરેક માટે એડવાઈઝરી જારી કરી છે. અત્યાર સુધીમાં કુલ 14 કેસ નોંધાયા છે, જેમાંથી 8ના મોત થયા છે. ચાંદીપુરા વાયરસના સમાચાર આવ્યા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. દેશની આરોગ્ય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસ શું છે?

વર્ષ 1966માં પહેલીવાર મહારાષ્ટ્રમાં આ સાથે સંબંધિત મામલો સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો.

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?


ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.

આ પણ વાંચો - સરકારે રિટેલ વેપારીઓને કહ્યું કઠોળ પર નફાનું માર્જિન ઘટાડો, નફાખોરી સામે લેવાશે કડક પગલાં

MoneyControl News

MoneyControl News

First Published: Jul 17, 2024 10:55 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.